કોવિડ-૧૯ પ્રભારી સચિવ દિનેશ પટેલના અધ્યક્ષસ્થાને ઈણાજ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, તા.૦૮, ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્રારા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે કરવામાં આવેલ કામગીરીનું સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને જિલ્લા વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન પુરુ પાડવા પ્રભારી સચિવ દિનેશ પટેલના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે કોવિડ-૧૯ની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. તેઓએ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને સાવચેતી રાખવા માટે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમાણ નાથવા આરોગ્ય વિભાગ દ્રારા શંકાસ્પદ દર્દીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસથી વધુ લોકો સંક્રમિત ન થાય તે માટે જરૂરી પગલા લેવા કહ્યું … Continue reading કોવિડ-૧૯ પ્રભારી સચિવ દિનેશ પટેલના અધ્યક્ષસ્થાને ઈણાજ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ